રૂ.૫ ની ચલણી નોટો તથા રૂ.૧૦ના સિક્કા સ્વિકારતા ન હોવાની રાવના પગલે નાણા વિભાગની સ્પષ્ટતા અનુસંધાને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરાશે કાયદેસરની કાર્યવાહી.
જો તમે વસ્તુની ખરીદી બદલ રૂ.૫/-ની ચલણી નોટ કે રૂ.૧૦/- નો સિક્કો દુકાનદારને આપો તો તે સ્વિકારવાનો દુકાનદાર ઈનકાર કરી શકે નહીં. કાયદાથી નિહીત આ બાબતનો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભંગ થતો હોવાની ફરિયાદના પગલે નાણા વિભાગે સ્પષ્ટતા કરી છે કે આવા કિસ્સાઓમાં નાણા ન સ્વિકારવા બદલ રાજદ્રોહની કાર્યવાહી થઈ શકે છે.
ભારતનો કોઈ નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરેલું ચલણી નાણું સ્વિકારવાની ના પાડે તો તેના વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૨૪-એ (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. જેથી નાની રકમની ચલણી નોટો તથા સિક્કા સ્વિકારવા જિલ્લાના તમામ વેપારીઓ તથા નાગરિકોને અપીલ કરવામાં આવે છે. વારંવાર ઉઠતી આ પ્રકારની ફરિયાદો સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી