- કેન્સર થવાના ઘણાં કારણો છે જેમાંથી એક આપણી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ છે.
- આજના સમયમાં લોકોની ખાવાપીવાની આદતો એવી થઈ ગઈ છે કે, તેના કારણે જ લોકો રોગિષ્ઠ બને છે.
- આપણે અમુક એવા પણ ખોરાક ખાઈ લઈએ છે, જેના કારણે કેન્સર થવાનો ખતરો વધી જાય છે. તો ચાલો જાણીએ.
- આપ સહુ જાણીએ છીએ કે કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને ભલભલા ડરી ઉઠે છે.
- પ્રાથમિક સ્ટેજમાં યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા કેન્સરને મ્હાત આપી શકાય છે.
- પરંતુ જો કેન્સર છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય તો વ્યક્તિના બચવાના બહુ ઓછાં ચાન્સિસ હોય છે.
- પેટ સંબંધી કેન્સરને લઈને કહેવાય છે કે કેન્સર થવાના ચાર કારણોમાં એક પ્રિઝર્વ્ડ ફૂડ પણ છે.
- પ્રિઝર્વ કરેલો ખોરાક ખાવાથી કેન્સરનો ખતરો વધી જાય છે.
- ડોક્ટરો મુજબ પ્રિઝર્વ કરેલા ખોરાકમાં કેમિકલ બનવા લાગે છે અને 2-3 દિવસ સુધી રાખેલો આવો ખોરાક ખાવાથી કેન્સર થઈ શકે છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/06/cancer.jpg?w=640&ssl=1)
- લાઈફસ્ટાઈલને કારણે કેન્સરના કેસ વધી રહ્યા છે.
- જેમાંથી એક કારણ ખાનપાન પણ છે.
- જે રીતે લોકોની રહેણીકરણી બદલાઈ છે, લોકો વધુને વધુ પેકેજ્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે
- પરંતુ આ ખોટું ચલણ છે અને તેનાથી બહુ મોટો ખતરો પણ છે.
- આ માટે દુનિયાભરના ઘણાં સેન્ટર્સે મળીને સ્ટડી પણ કર્યું અને તેમાં જાણવા મળ્યું કે પ્રિઝર્વ્ડ ફૂડમાં એવા કેમિકલ્સ બને છે જે કેન્સરનું કારણ બની રહ્યાં છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/06/food.jpg?w=640&ssl=1)
- જ્યારે ખોરાકને પ્રિઝર્વ્ડ અથવા પેકેજ્ડ કરવામાં આવે છે ત્યારે તેમાં ઓક્સીજનનું લેવલ ઘટી જાય છે.
- જેના કારણે ઈમ્યૂન સિસ્ટમ નબળી થાય છે.
- આ સિવાય જો પ્રિઝર્વ્ડ ફૂડ નોનવેજ હોય તો તેમાં કાર્સિનોજેનિક એટલે કે કેન્સર પેદા કરનાર તત્વ બનવા લાગે છે
- તેના કારણે કેન્સર થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે.
- આપણી ભૂલો જ કેન્સર જેવા ઘાતક રોગો નોતરે છે
- કેન્સરથી બચવા ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News