વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદીલીને લઇને પ્રેસ કૉન્ફરન્સ કરી. રવીશ કુમારે કહ્યું કે, ભારતની એર સ્ટ્રાઇકની જવાબમાં પાકિસ્તાને એક્શન લીધી. ભારતે પાકિસ્તાનની એક્શનનો જડબાતોડ જવાબ આપ્યો અને તેમના લડાકૂ વિમાનને તોડી પાડ્યુ. જોકે, આ કાર્યવાહીમાં ભારતનું એક મિગ વિમાન પણ ધ્વસ્ત થઇ ગયુ અને અમારો એક પાયલટ લાપતા છે.

ભારતે ગઈ કાલે પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. પાકિસ્તાનમાં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે. આ દરમિયાન ભારત-પાકિસ્તાનનાં તણાવ વચ્ચે પીએમ મોદીના ઘરે હાઈ લેવલની બેઠક પણ કરવામાં આવી હતી.

પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય પાયલટ તેમની કસ્ટડીમાં છે, અમે હાલ તેની તપાસ કરી રહ્યાં છીએ. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રિફીંગમાં રવીશ કુમારની સાથે એર વાઇસ માર્શલ આર.જી.કે કપૂર પણ હાજર રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024