પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો થતાં 28 લોકો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેને લઇને મોટા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
પાલનપુર તાલુકાના મોટા ગામમાં માત્ર સાફો પહેરવાની બાબતમાં વરઘોડા પર પથ્થરમારો થયો હતો દલિત યુવાનના વરઘોડા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું જો કે પોલીસે સમગ્ર મામલો સંભાળ્યો હતો અને કાંકરીચાળો કરનાર 3 ની અટકાયત પણ કરી હતી.
મોટા ગામમાં દલિત યુવાનના લગ્નને લઈને વરઘોડો નીકળવાની બાબતમાં પોલીસ પ્રોટેક્શન પણ માગ્યું હતું પરંતુ મોટા ગામમાં ઘર્ષણ ન થાય અને તંગદિલી ના થાય અને વ્યવહાર ન બગડે એ હેતુ થી દલિત યુવકના પરિવારે વરઘોડો બંધ રાખવાનું નક્કી કર્યું હતું જોકે થોડી ચડવાની પણ બાબતમાં દલિત પરિવાર પાછી પાની કરી હતી ત્યારે માત્ર સાફો પહેરવાની બાબતમાં વરઘોડો નીકળવાના સમયે કાંકરીચાળો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું અને દલિત યુવાનના વરઘોડા પર પથ્થરમારો કરનાર યુવકોની જોકે પોલીસે અટકાયત પણ કરી હતી.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી