પાટણ શહેરના જલારામ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા હોય છે ત્યારે શ્રાવણ માસમાં આવતી એકાદશીના રોજ ૧૧૦૦ કમળ ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવ્યા હતા.
સુમધુર સંગીત વચ્ચે શિવજીની આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટીસંખ્યામાં ટ્રસ્ટીગણ સહિત જલારામ બાપાના સેવક ગણ અને ભાવિકભકતોએ દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.