પાટણ તાલુકાના સંખારી ગામ થી પ્રજાપતિ ભાઈઓ દ્વારા છેૡા ૧પ વર્ષથી સંખારી થી અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે.દર વર્ષે ભાદરવા સુદ બારસના દિવસે સંખારી થી પગપાળા સંઘ અંબાજી પ્રસ્થાન પામે છે.જેમાં ૧૦૦ થી પણ વધારે યુવાન યુવતીઓ જોડાય છે.પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈ પગપાળા સંઘ બંધ રહ્યો હતો.

ત્યારે આ વર્ષે કોરોના નું સંક્રમણ ઓછું થતા સંખારી ગામ થી અંબાજી પગપાળા સંઘ નીકળ્યો હતો જેમાં ગામના ૩૦થી ૩પ જેટલા યુવાનો જોડાયા હતા.ભાદરવા મહિનામાં જગત જનની માં અંબાના ધામમાં લાખો માઇભક્તો શિષ ઝુકાવવા પગપાળા સંઘ લઈને આવે છે.પરંતુ છેલ્લા બે વર્ષથી આ મહામારીના કારણે તમામ સંઘ બન્ધ રહેવા પામ્યા હતા.આ વર્ષે અંબાજી પગપાળા સંઘ લઈને અનેક ગામોમાંથી શ્રદ્ઘાળુઓ પગપાળા સંઘ નીકળ્યા છે અંબાજીમાં પણ પાંચમ બાદ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સંખારી ગામના કનૈયાલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દર વર્ષે સંખારી ગામ થી પગપાળા સંઘ નીકળે છે પરંતુ કોરોના મહામારીના કારણે બે વર્ષથી સંઘ બંધ રાખવામાં આવ્યો હતો.પરંતુ ચાલુ સાલે ભાદરવી બારસથી નહીં પરંતુ શ્રાવણ વદ દસમ થી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024