રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં લાદવામાં આવેલા નિયંત્રણોની સમયમર્યાદામાં વધારો કરતાં જિલ્લામાં અમલવારી માટે જાહેરનામું


નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જેને ધ્યાને લઈ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરતાં સમગ્ર રાજ્યમાં મુકવામાં આવેલા નિયંત્રણોની અવધી આગામી તા.૦૧ ઓગષ્ટ,૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.

કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુસર, લોકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને જાહેર જનતાના હિતમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૭(૪) અન્વયે, પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈ જાહેર જનતાના હિતમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૯.૦૭.૨૦૨૧ ના હુકમ ક્રમાંક:વિ/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-Bથી બહાર પાડવામાં આવેલ હુકમમાં જણાવ્યા મુજબના કેટલાંક નિયંત્રણોની અવધિ લંબાવવી જરૂરી જણાતાં જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા સમગ્ર પાટણ જિલ્લામાં નીચે મુજબના વિવિધ નિયંત્રણો તથા હુકમ ફરમાવવામાં આવ્યા છે.


A. તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી- ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહીં.)

B. જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. આધિન ચાલુ રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહીં.

C. જાહેર બાગ- બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P આધિન ચાલુ રાખી શકાશે.Dઆ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે.

E. અંતિમક્રિયા/ દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.

F. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦(બસ્સો) વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

G. વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. આધિન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહીં.)

H. ધોરણ.૦૯થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટર્સ/ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટર્સ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P સાથે ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહીં.)

I. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.

J. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.

K. પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી.બસ સેવાઓ ૧૦૦% ક્ષમતાના સાથે (Standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.(તમામ ડ્રાઈવર અને કંડક્ટર તેમજ અન્ય સ્ટાફએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય છે.)

L. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/ સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. ( રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

M. સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહીં.)

N. વોટરપાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. ( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા. ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વોટરપાર્ક તથા સ્વિમીંગ પુલ ચાલુ રાખી શકાશે નહીં.)

O. સ્પા સેન્ટરો બંધ રહેશે.

P. ઉપરોક્ત A, B, G, H, K, L, M, N માં જણાવેલ બાબતો સંદર્ભમાં જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની Discharge summary ની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૦.૦૭.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાકથી તા.૦૧.૦૮.૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુધી લાગુ પડશે.

આ જાહેરનામાની જોગવાઈઓ/ કેન્દ્ર-રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ The EPIDEMIC DISEASES Act 1897, THE GUJARAT EPIDEMIC DISEASES COVID – 19 REGULATION, 2020ની જોગવાઈઓ, ભારતીય દંડ સંહિતા,૧૮૬૦ ની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024