ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા સલ કન્વીનર ડોકટર યજ્ઞશભાઈ દવે ના જન્મદિવસ નિમિતે બ્રહ્મ સમાજની બહેનો દ્વારા પાટણ ના સિદ્ધનાથ મહાદેવના મંદિર ખાતે તેઓનું આયુષ્ય અને તંદુરસ્તી માટે અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંદિર પરિસર ખાતે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજીએ કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો અંગે વધુ માહિતી આપી હતી.