રાજય સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષાણના કાયદા ર૦૦૯ અંતર્ગત તા.૧ જૂન ર૦ર૧ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા નબળા અને વંચિત જૂથના બાળકોને ધો.૧માં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે.

ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ ર૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને કુલ બેઠકોના રપ ટકા પ્રમાણે ધો.૧માં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આ આરટીઈ અંતર્ગત રાજય સરકાર દ્વારા રપ જૂન ર૦ર૧થી પ જુલાઈ ર૦ર૧ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ નકકી કરવામાં આવી હતી ત્યારે રાજય સરકાર દ્વારા આરટીઈ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવા માટે જુદી જુદી પાંચ વેબસાઈટો મૂકવામાં આવી હતી.

ત્યારે પાટણ જિલ્લામાંથી ર૦ર૧-રરના વર્ષ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ રર૧૪ ભરવામાં આવ્યા છે ત્યારે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી બી.એન. પટેલે જણાવ્યું હતું કે વર્ષ ર૦ર૧-રરમાં ધોરણ-૧માં બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં રપ ટકા આરટીઈ અંતર્ગત ઓનલાઈન રર૧૪ ફોર્મ ભરાયા છે જે તા.૬ થી ૧૩ સુધી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે અને ચકાસણીના અંતે પાટણ જીલ્લામાં રપ ટકા લેખે બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં ૭૭ર સીટ પર તમામ લાયક બાળકોને પ્રવેશ આપવામાં આવવાનું જણાવ્યું હતું.

અને વધુમાં સરકારના ઠરાવ પ્રમાણે ૧૩ કેટેગરીમાં આવતાં અને નજીકની શાળાઓમાં બાળકોને પ્રવેશ પ્રાથમિકતાના આધારે આપવામાં આવવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024