ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભુમીમાં આવેલ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયમાં આજરોજ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.

જેમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.ઉપસ્થિત મહેમાનો તથા કોરોનાના કપરાકાળમાં ટિફિન સેવામાં સહયોગ આપનાર દાતાઓ અને પત્રકારોનું ફુલ,શાલ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સભામાં ગત સાધારણ સભાના ઠરાવો વંચાણે લીધા હતા.ત્યારબાદ ગત બે વર્ષમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી વર્ષ ર૦૧૯-ર૦ તેમજ વર્ષ રર૦-ર૧ ના વાર્ષિક હિસાબો વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી.

આ સભામાં ખાસ કરીને છાત્રાલયની ભવ્ય નવિન બીલ્ડીંગ બનાવવાનુ તેમજ તેમાં અલગ વિભાગ કરી કન્યા છાત્રાલય બનાવવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024