બાંગ્લાદેશમાં અલ્પ સંખ્યામાં રહેતા હિન્દુ પરિવાર ઉપર કરવામાં આવતા હુમલાના વિરોધમાં શનિવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતો મહંતો અને કાર્યકર્તાઓની ઉપસ્થિત વચ્ચે જિલ્લા કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કરવામાં આવતાં હુમલાના વિરોધ માં શહેરનાં સિધવાઈ માતાજી મંદિર ખાતે એકત્ર થઇ સુત્રોચ્ચાર સાથે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
આ આવેદનપત્ર નાં કાર્યક્રમમાં ખોરસમ આશ્રમનાં સંત શ્રી રામદાસજી મહારાજ, પાટણ સિદ્ઘનાથ મહાદેવ મંદિર નાં પપુ.આતુબાપુ સહિત મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાયકરો જોડાયા હતા.