PATAN : પાટણ શહેરમાં ગૌમાતાઓ ખુલ્લા હોજ કે કુંડીઓમાં પડી જવાના બનાવો છાશવારે પ્રકાશમાં આવતા હોય છે ત્યારે પાટણ શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલા શ્રીનગર સોસાયટીના એક મકાનના ખુલ્લા પ્લોટની ખુલ્લી ટાંકીમાં ગૌમાતા પડી જવાની ઘટના બની હતી
જેને લઈ સ્થાનિક રહીશો દવારા હરીઓમ ગૌશાળાનો સંપર્ક કરી આ ગૌમાતાને બચાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે આ ખુલ્લી ટાંકી ઉંડી હોવાથી જેસીબીની મદદથી ગૌમાતાને ટાંકીમાંથી બહાર કાઢી તેઓને નવજીવન આપ્યું હતું.
આ ગૌમાતાને બહાર કાઢવામાં ગોપાલ રાયચંદાણી સહિત બંટીભાઈ શાહે જહેમત ઉઠાવી ગૌમાતાને બહાર કાઢી હતી.