હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલ બીએસએમએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની સપ્લીમેન્ટરી પરીક્ષામાં એનાટોમી વિષયમાં ૮૮ માંથી પ૦ વિદ્યાર્થી ઓ નાપાસ થતા ગુણ વિસંગતતાને તેમનું સમગ્ર વર્ષ બગડતું હોય સત્વરે પરીક્ષા વિભાગ દ્વારા ફરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે
વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. યુનિવર્સીટી દ્વારા બીએસએમએસ અભ્યાસના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા ડિસેમ્બર ર૦ર૦ માં લેવામાં આવી હતી .
જેમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા ત્યારબાદ નિયમ અનુસાર બીજી સપ્લીમેન્ટરી માર્ચ જૂન ર૦ર૧ ની પરીક્ષા લેવાઈ હતી.જેનું પરિણામ ૧૩ ઓક્ટોબરે જાહેર કરાયું હતું .
જેમાં તમામ વિદ્યાર્થીઓ અન્ય વિષયોમાં પાસ હતા પરંતુ ફક્ત એનાટોમી વિષય પેપર ૧ માં ૮૮ માંથી પ૦ વિદ્યાર્થીઓ નપાસ થયેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓનું ધાર્યા કરતાં વિપરીત પરિણામ આવ્યું હોઈ પેપર ચકાસણીમાં કોઈ ભૂલ થઈ હોવાથી નપાસ થયા હોવાની રાવ સાથે એક વિષયમાં નાપાસ થતા સમગ્ર વર્ષ બગડી રહ્યું હોઈ વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા વિભાગ દ્વારા તાત્કાલિક ફરીથી વિષયની ચકાસણી કરી યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે કુલપતિને આવેદનપત્ર અપાયું હતું.