PATAN Anavada News : પાટણ તાલુકાના અનાવાડા (Anavada) ગામમાં સમસ્ત ગામની સમુહ ટોપલા ઉજાણીનું પર્વ પરંપરાગત રીતે શ્રધ્ધા અને ભકિતના માહોલમાં યોજાયું હતું દર વષે ભાદરવા સુદ ચૌદસે ગામમાં ઉજાણી યોજાય છે.
તે રીતે આનંદ-ઉમંગ-ઉલ્લાસ અને એકતાની ભાવના સાથે પરંપરાગત સમુહ ટોપલા ઉજાણી ઉજવાઈ હતી. જેમાં સમગ્ર ગામના તમામ ગ્રામજનો ગામમાં આવેલ ખેજડીયા વિર દાદા ના મંદિર પરિશરમાં ઘરેથી માતાજીને નૈવધ ચઢાવવા માટેની કાચી સાધન સામગ્રી ટોપલામાં લઈને ઘરેથી ચુલો સળગાવવા માટે લાકડાં પણ લઈને આવે છે.
અને મંદિર પરિશરમાંથી એક પણ વસ્તું લેવામાં આવતી નથી. અને ગામના દરેક ઘરોમાંથી કરવઠા રૂપે ટોપલું નિકળે છે. જેમાં પ્રથમ પટેલ સમાજની મહિલાઓ અને ત્યાર બાદ ભરવાડ, ઠાકોર અને પ્રજાપતિ સમાજની મહિલાઓ મંદિર પરિશર ખાતે આવીને ચુલો સળગાવી માતાજીના કરવઠા રૂપે લાપસીની પ્રસાદી તૈયાર કરે છે. અને માતાજીને નૈવધ ચઢાવી બાકીની પ્રસાદી ઘરે ખાવા માટે ટોપલામાં લઈ જવામાં આવતી હોય છે.
અનાવાડા ગામ વસ્યુ ત્યારથી પરંપરાગત આ કરવઠું ગ્રામજનો દવારા અવિરત પણે ભાદરવા સુદ ચૌદશે કરવામાં આવતું હોય છે. અને દાદાના આ કરવઠું કરવાથી ગામમાં સુખ શાંતિ અને ચેનની ગ્રામજનો અનુભૂતિ પણ કરતાં હોય છે. ગામની બહેનો નવા વસ્ત્રો અને આભુષણો સાથે માથે ટોપલા ઉપાડીને ઉજાણીના અવસર માં ઉમંગભેર જોડાયા હતા અને મંદિર પરીસર ખાતે લાપસી નૈવેધ બનાવી માતાજીને ધરી પરંપરાગત ધાર્મિક કરવઠું કયું હતું. ઉજાણી નિમીતે સમગ્ર ગ્રામજનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આખા ગામમાં એક ભકિત મય માહોલ જોવા મળ્યો હતો. તો ખેજડીયાવિર દાદાની આ ઉજાણીમાં સમસ્ત ગ્રામ જનો એ માતાજીને લાપસીનું નૈવધ ચઢાવી પરંપરાગત કરવઠું કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે ગામના મેહુલભાઈ પટેલે ભાદરવા સુદ ચૌદશે અનાવાડા ગામની ઉજવાતી સમુહ ટોપલા ઉજાણી વીશે વધુ માહીતી આપી હતી.