પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણમાં એમબીબીએસ તથા એમએસસીના વિધાર્થીઆેના રિએસેસમેન્ટમાં ગુણ સુધારણા બાબતના કૌભાંડની તપાસ તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત કરી છે.

પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રિસહ ચુડાસમાને લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે, આ ગુણ સુધારણા કૌભાંડ બાબતે વિધાનસભામાં પણ રજૂઆત થયેલી છે અને આ બાબતની તપાસ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને સોંપવામાં આવેલી છે. ત્યારે આ બાબત લાખો વિધાર્થીઆેને સ્પર્શતી હોઈ તેની સાચી તપાસ કરી કસુરવારો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, યુનિવિર્સટીએ પણ કારોબારીમાં સદર કૌભાંડ થયેલુ હોવાનું કબુલે છે અને આ બાબતે ત્રણ વિધાર્થીઆેના પરિણામ સ્થગિત કરવા પણ નિર્ણય કરાયો છે, પરંતુ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવા જણાવેલુ નથી જે યોગ્ય નથી. પરંતુ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવા જણાવેલુ નથી જે યોગ્ય નથી. ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પોતાની રજૂઆતમાં આ બાબતો જણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024