ભારત સહિત ગુજરાતભરમાં નવલા નોરતાનું પર્વ હર્ષોલ્લાસ પૂર્વક ઉજવવામાં આવી રહયું છે ત્યારે કે.કે.ગલ્ર્સ હાઈસ્કૂલ ખાતે પણ નવરાત્રી પર્વનું આસો સુદ-૭ના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ વિવિધ ટ્રેડીશનલ ડ્રેસ સાથે ડી.જે.ના તાલે મન મૂકીને ગરબે ઘુમતી જોવા મળી હતી તો વિદ્યાર્થીનીઓ સાથે સાથે શિક્ષકો અને પ્રિન્સીપાલ પણ ડી.જે.ના તાલે ઝુમી ઉઠયા હતા.
આ નવરાત્રી પર્વના આયોજન થકી વિદ્યાર્થીનીઓમાં એકબીજા સાથે ભળવાની સમૂહ ભાવના કેળવાય છે અને સાંસ્કૃતિક વારસાના જતન સહિત સંસ્કૃતિને જીવંત રાખી શકાય છે.
આ પ્રસંગે શાળાના પ્રિન્સીપાલે જણાવ્યું હતું કે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓ વચ્ચે અનેક વિવિધતા જીવનમાં થોડુ મનોરંજન પીરસાય તે માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કે.કે.ગર્લ્સ હાઈસકૂલમાં કરવામાં આવ્યું
હોવાનું જણાવી મનોરંજનની સાથે સાથે માં અંબેની આરાધના કરી આગામી સમયમાં આવનાર પરીક્ષામાં વિદ્યાર્થીનીઓને ઉજવળ સફળતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.