બહુચર પંપીંગ સ્ટેશન ઉપર ઘણા સમયથી વીજ વધારા અંગેનો પ્રશ્ન હતો જેનો આજે સુખદ અંત આવ્યો હતો. ત્યારે બહુચર પંપીંગ સ્ટેશન ઉપર આજે શ્રાવણ માસના સંકટ ચતુર્થીના પવિત્ર દિવસે વીજ વધારો મળતા ૧ર.૩૯ના શુભમુહૃતેભૂગર્ભ સમિતિના ચેરમેન જયેશ પટેલ અને પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલના વરદહસ્તે એકીસાથે બે મોટર (પંપ) ચાલુ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

વીજ વધારો મળવાથી બહુચર પંપીંગ સ્ટેશન ઉપર એકીસાથે બે મોટર ચાલુ થવાનાં કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભૂગર્ભ ના ગંદા પાણી ઉભરાવાના પ્રશ્નનો મહદઅંશે અંત આવવવાનું ભૂગર્ભ સમિતિના ચેરમેન જયેશ પટેલે આશા વ્યકત કરી હતી.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જીલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, પાટણ નગર સેવા સદનના પ્રમુખ સ્મિતાબેન પટેલ, પાટણ શહેરના ઉત્સાહી પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, નગર પાલિકાના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ, ભુગર્ભ ના ચેરમેન જયેશભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, દિક્ષિત પટેલ, સહિત નગરપાલિકાના ઇજનેર કીર્તિભાઇ પટેલ, પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકા નો કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024