પાટણ શહેરના નારણજીના મહોલ્લામાં આવેલ નારણજીના મંદિરમાં પુષ્ટિ માર્ગીય બહેનો દવારા જમનાજીની લોટી યાત્રાનું અને જમનાજીના જળાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આ વિસ્તારમાં રહેતી પુષ્ટિ માર્ગીય બહેનો મોટીસંખ્યામાં જોડાઈ હતી. જેમાં પાટણ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હસુમતી બહેન પણ લોટી યાત્રામાં જોડાયા હતા. અને મહામંત્રી માનસીબેન ત્રિવેદીએ વિશેષ હાજરી આપી હતી.