Patan : પાટણ હિંગળાચાચર ચોક માં શ્રી રામ ની પાવન જન્મભૂમિ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિ-પૂજન ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પાટણ શહેર ભાજપ દ્વારા મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મહાઆરતીના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત ભાજપના કોપોરેટરો અને શહેરના આગેવાનો અને હોદેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી રામલલ્લાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલે રામલલ્લાની ભૂમિપૂજનની પ્રથમ વર્ષગાંઠને લઈને શહેર ભાજપ દવારા કરવામાં આવેલા મહાઆરતીના કાર્યક્રમની પ્રશંસા કરી નિર્માણ પામનાર ભવ્ય રામલલ્લાના મંદિર અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યો હતા.

Ptn News channel number in GTPL – 985

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024