Patan City : પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. પાટણ શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં આવેલ ડોડીયાવાસ ખાતે રહેતા રામીબેન કુબેરભાઈ સોલંકીના બંધ મકાનમાં આકસ્મિક આગ લાગી હતી.
આ આકસ્મિક આગ લાગતા ઘરમાં પડેલો કાટ-માળ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આ આગ અંગેની જાણ પાલિકાના ફાયર ફાઈટરને કરાતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આંગ પર કાબુ મેળવ્યો હતો.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/03/image-11.png?resize=640%2C288&ssl=1)
આમ આગ વધુ પ્રસરતા અટકી જતા સ્થાનિક રહીશોએ રાહત નો શ્વાસ લીધો હતો. તો આ અચાનક લાગેલી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સ્થાનિક લોકો અનુમાન લગાવી રહ્યા છે
રિપોર્ટર :- મોહમ્મદ પઠાણ, પાટણ