શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં આઝાદી ને ૭પવર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઝાદીના ૭પ વષો નો આ અવસર એક અમૃતની જેમ વર્તમાન પેઢીને પ્રાપ્ત કરવાનો પ્રયાસ બી.ડી. સાર્વજનિક વિદ્યાલય દવારા કરવામાં આવ્યો હતો.

એક એવું અમૃત જે આપણને પ્રત્યેક પળ દેશ માટે જીવવા, દેશ માટે કંઈક કરવા માટે પ્રેરણા આપવા અમૃત મહોત્સવ નિમિતે દેશ ભક્તિગીત, સમૂહ રાષ્ટ્રગાન તેમજ પાટણ જિલ્લા નાં ગૌરવ સમાન રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા એવા જિલ્લા ના ર૮ જેટલા શિક્ષકોનું સન્માન ડો.કાનજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડો.અતુલભાઈ અગ્રવાલ કેતનભાઈ પટેલ તેમજ ડો.બી.આર.દેસાઈ અને ર૮શ્રેષ્ઠ શિક્ષકો ઉપસ્થિતિ રહી અમૃત મહોત્સવની ગૌરવ ભેર ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024