માં શક્તિ નું પર્વ એટલે નવરાત્રી જેમાં માં અંબા ની વિવિધ સ્વરૂપે પૂજા અને આરાધના કરી આશીર્વાદ મેળવાય છે.
ત્યારે પાટણ શહેરના હાંસાપુર લિંક રોડ ઉપર આવેલ મલ્હાર બંગલો સોસાયટીમાં પરંપરિક રીતે વિધીવત ઘટસ્થાપના કરી માં અંબા ની તસવીર સ્વરૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
સોસાયટીમાં રહેતા વિષ્ણુ ભાઈ પટેલ ના ઘરે થી માતાજી ના ચાચર ચોક સુધી વાજતે ગાજતે જય અંબે નો જયઘોષ ગુંજી માતાજીની જય બોલાવવામાં આવી હતી.