આસો સુદ-૮ના રોજ પોતાના કુળદેવીએ પલ્લી સહિતના વિવિધ કાર્યક્રમોનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારે પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા ભરવાડવાસ ખાતેથી પગપાળા યાત્રાસંઘ વડલી મુકામે પોતાના કુળદેવી ખોડીયાર માતાના મંદિરે જવા પ્રસ્થાન પામ્યો હતો. ત્યારે સમાજના ભાઈઓ અને બહેનો ડી.જે.ના તાલે હુડા રાસ રમતાં આકષણનું કેન્દ્ર બન્યા હતા.
ત્યારે ધજા પતાકા સાથે આ યાત્રાસંઘ વડલી મુકામે પોતાના કુળદેવી ખોડીયાર માતાના મંદિરે જઈ ધજા ચડાવી માતાજીની પલ્લી ભરી આસો સુદ-૮મી ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હોવાનું રમેશ ભરવાડે જણાવ્યું હતું.