પાટણ સ્વામી પરિવાર ના કુળદેવી સમોરા માતાજીની શ્રાવણ સુદ સાતમને રવિવારના પવિત્ર દિવસે વર્ષગાંઠ પર્વની ભક્તિમય માહોલમાં શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

કુળદેવી શ્રી સમોરા માતાજીની વર્ષગાંઠ પર્વની ઉજવણી પ્રસંગે માતાજીની ભવ્ય પાલખી યાત્રા નું પુજા અર્ચના સાથે સ્વામી પરિવારના સૌ ભક્તજનો દ્વારા મહા આરતી ઉતારીને બકુલ પાર્ટી પ્લોટ ખાતેથી શાસ્ત્રોક મંત્રોચ્ચાર વચ્ચે અને સંગીતના સુમધુર સૂર સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ પાલખી યાત્રા પદ્મનાથ ભગવાન ના નિજ મંદિર ખાતે આવી પહોંચતા પરિવારની કુવાસીઓ દ્વારા પાલખી યાત્રા નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. અને પાલખી યાત્રા નિજ મંદિર ખાતે સંપન્ના બનતા કુળદેવી શ્રી સમોરા માતાના જય જય કાર થતાં સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું.

શ્રી સમોરા માતાજીની વર્ષગાંઠની ઉજવણી ને અનુલક્ષીને શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે એક કુંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞના યજમાનપદે સ્વ. હરગોવનદાસ બળીયાભાઈ સ્વામી (વકિલ) પરિવારના જીગરભાઈ મહેન્દ્રભાઈ સ્વામી અને તેમના ધર્મ પત્ની પૂજાબેન જીગરભાઈ સ્વામી પરિવારે લાહ્વો લીધો હતો. યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ પાટણના જાણીતા વિદ્વાન બ્રાહ્મણ જયેશભાઇ પંડ્યા સહિતના ભૂદેવો દ્વારા કરવામાં આવી હતી.

આ ધામીક પ્રસંગે સ્વામી પરિવારજનો દ્વારા ભગવાન શ્રી પદ્મનાભજી સન્મુખ ભગવાનની વાણી સાથે સેવા કરવામાં આવી હતી.

હવન ની પૂણાહૂતિ પ્રસંગે મોટી સંખ્યામા સ્વામી પરિવાર સહિત પાટણમાં પ્રતિષ્ઠિત નગરજનો, રાજકીય આગેવાનો અને પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ સરકારની કોવિડ ગાઈડ લાઈન સાથે ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લ્હાવો લઈને કુળદેવી શ્રી સમોરા માતાજી ની વર્ષગાંઠ પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024