ગુજરાત રાજયમાં ધો.૧ થી ૮ના પુસ્તકોની ઘટ બાબતે પ્રાથમિક શૈક્ષિાક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રી સહિત શિક્ષાણ સચિવને પત્ર લખવામાં આવ્યો છે. આગામી ર૦,ર૧ ઓગષ્ટે લેવાનાર પરીક્ષાા મોકુફ રાખવા પત્ર લખાયો છે.
અલગ અલગ પાંચ જેટલા મુદાઓને આવરીને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પત્ર લખાયો છે. ધો.૧ થી ૮ના તમામ પાઠયપુસ્તકો પુરતા પ્રમાણમાં અને તમામ વિષયના તમામ તાલુકાઓમાં હજુ સુધી પહોંચ્યા નથી જેથી શિક્ષકોને વિધાર્થીઓને ભણાવવામાં પૂરતો સમય આપ્યા બાદ જ પૂરક પરીક્ષાાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વર્ચ્યુઅલ કલાસ તથા ડિજીટલ કલાસમાં તમામ બાળકો ભાગ લઈ શકતા નથી તેમજ વરસાદને લઈ શિક્ષકો તેમજ વિધાર્થીઓ યોગ્ય રીતે શેરી શિક્ષણમાં પણ ભાગ લઈ શકતા ન હોવાના વિવિધ મુદાઓને લઈ આગામી ઓગષ્ટ મહિનામાં લેવાનાર પૂરક પરીક્ષાઓ મોકુફ રાખવા પ્રાથમિક શૈક્ષિાક મહાસંઘ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.