આજના બદલાતા ઋતુચક્રમાં ગ્લોબલ વોમિઁગની અસર વર્તાઈ રહી છે ત્યારે પાટણની અનેક સેવાભાવી સંસ્થાઆેએ વૃક્ષારોપણ કાર્યક્રમ થકી આેક્સીજનનું સ્તર વધે તેવા પ્રયત્નો કર્યા છે.

જેના ભાગરૂપે ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે આજે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા પાટણ જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પાટણ શહેરના વોર્ડ નંબર ૧૦માં આવેલ અગાસિયાવીર દાદાના મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ૦ જેટલા અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર -૭ ના કોપોરેટર, કમિનીબેન પ્રજાપતિ, તેમજ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભરતભાઇ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રજાપતિ, માનસીબેન ત્રિવેદી અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ પાટણ જિલ્લા સંયોજક જ્યેન્દ્ર ભીલ ઉપિસ્થત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જય રાણા અને શ્રદ્ઘા પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024