રાધનપુર નગરપાલિકા દ્વારા ખરાબ અને કેમિકલ યુક્ત પાણી છેલ્લાં 20 વર્ષ થી સાતુન ગામ તળાવ માં છોડવામાં આવે છે. ગામના લોકો દ્વારા આ બાબત એ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન વહીવટદારો દ્વારા કરવામાં આવતા ગ્રામજનો વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
રાધનપુર નગર અને જીઆઇડીસી ના ગંદા પાણીનો યોગ્ય નિકાલ ની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં નાં આવતા છેલ્લા વીસેક વર્ષ થી કેમિકલ યુકત ગંદુ પાણી રાધનપુર તાલુકાના સાતુન ગામનાં તળાવ માં જતું હોવાના કારણે તળાવનું પાણી ગ્રામજનો માટે બિન ઉપયોગી બની જવા પામ્યું છે.
તળાવ માં આવતું ગંદુ પાણી કેમિકલ યુકત પાણી બાબતે ગામનાં લોકો દ્વારા રાધનપુર નગરપાલીકા તેમજ જિલ્લા કલેકટર ને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈજ નક્કર કામગીરી કરવામાં નાં આવતા આજે તળાવ નાં પાણીમાં અસહ્ય દુર્ગંધ આવી રહી છે.
ગામના આગેવાન પબજીભાઈ ડોડીયા એ જણાવ્યું હતું, કે કેમિકલ યુકત ગટર નાં પાણી તળાવમાં આવતા તળાવ નું પાણી ઢોરો ને પણ પીવા લાયક રહ્યુ નથી. જ્યારે માણસો ને આ પાણીથી ચામડી નાં રોગો થાય છે.નગર પાલિકા ની ઘોર બેદરકારી નાં કારણે આવતા ગટર નાં પાણી થી ગામની મોટા ભાગની જમીન ખેતી લાયક રહી નથી.જેને કારણે ગ્રામજનોને હિજરત કરવાનો વારો આવી આવશે તેવુ પથુભાઈ ડોડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ગામ તળાવ માં રાધનપુર શહેર તેમજ જીઆઇડીસી નું કેમિકલ યુકત ગંદુ પાણી આવતું રોકવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનો ની ગામનાં લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે.
- 200થી વધુ પૂર્વ સાંસદોને બંગલા કરવા પડશે ખાલી, નોટીસ આપવાનું કર્યું શરૂ
- ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
- ગાંધીનગર : રાજ્યના HTAT આચાર્યો ઉપવાસ પર ઉતર્યા..
- Vadodara : સાવલીમાં પેલેસ્ટાઇનનો ઝંડો લાગતા વિવાદ, મોહરમ પર્વની ઉજવણીની ઘટના; પોલીસ એક્શનમાં
- તિહાર જેલે કેજરીવાલ મુદ્દે કર્યો મોટો ખુલાસો, “જાણીજોઈને વજન ઘટાડી રહ્યા છે”