• વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર ના દિવસે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન કૉંગ્રેસ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા.
  • પીએમ મોદીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે કાલે કોઈ કૉંગ્રેસી નેતાએ પોતાના ઘોષણા પત્રમાં કહ્યું છે કે 6 મહિનામાં મને ડંડા મારશે. પીએમ મોદીએ કટાક્ષ કરતાં કહ્યું કે એ વાત સાચી છે કે કામ થોડું અઘરું છે. તો તેની તૈયારી માટે 6 મહિનાનો સમય જોઈએ.
  • નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મેં પણ 6 મહિનામાં નક્કી કરી લીધું છે કે સૂર્ય નમસ્કારની સંખ્યા વધારી દઈશ. જેથી મારી પીઠને માર સહન કરવાની શક્તિ વધી જાય. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી ગાળો સાંભળવાની આદત પડી ગઈ છે.
  • પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું આભારી છું કે તેનાથી મને 6 મહિના કસરત વધારવાની તક મળી. ત્યારબાદ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો. તેની ઉપર પણ પીએમ મોદીએ કટાક્ષ કરતાં કહ્યું કે, ઘણી ટ્યૂબલાઇટમાં આવું જ થાય છે.
  • વડાપ્રધાને લોકસભામાં જ્યારે પોતાની વાત કહેવાની શરૂ કરી ત્યારે લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કેટલાક નેતઓની સાથે મહાત્મા ગાંધી જિંદાબાદના નારા લગાવવાની શરૂઆત કરી દીધી. તેની પર વડાપ્રધાને પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, બસ આટલું જ? તેની પર કૉંગ્રેસ નેતા અધીર રંજન ઊભા થયા અને કહ્યું કે આ તો માત્ર ટ્રેલર છે. તેની પર પીએમ મોદીએ વળતો જવાબ આપતાં કહ્યું કે “આપના માટે ગાંધીજી ટ્રેલર હોઈ શકે છે, અમારા માટે તો જિંદગી છે”.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024