ram navami and ramzan

પ્રતાપ સીસોદીયા, જુનાગઢ : માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ બી.કે.ચાવડા ની અધ્યક્ષતા માં રામનવમી, રમઝાનને લઈ શાંતિ સમિતિ ની બેઠકમાં હિન્દૂ મુસ્લીમ સમાજના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા.

માળીયાહાટીના psi બી.કે.ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં ચૈત્રી નવરાત્રી, રામનવમી અને રમઝાનના પર્વને લઈ કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતી પૂર્વક રીતે આનંદમય વતાવરણ માં ઉજવાય તે માટે હિન્દુ- મુસ્લીમ સમાજનાં અગ્રણીઓ દ્વારા તંત્રને સહકાર આપવા ખાત્રી અપાઈ હતી. તેમજ પોલીસ દ્વારા તહેવારોને લઈ સજ્જડ બંદોબસ્ત ગોઠવવા પણ ખાતરી અપાઈ હતી.

હમીરસિંહ સીસોદીયા – ક્ષત્રીય સમાજના આગેવાન

આ બેઠકમાં હાટી ક્ષત્રીય સમાજના આગેવાન હમીર સિંહ સીસોદીયા, મુસ્લીમ સમાજના પ્રમુખ અમીનભાઈ પઠાણ, મોમીન સમાજના મુખી સાહબુદિનભાઈ, રાજુભાઇ દેસાઈ, ભરતભાઇ ભલગરીયા, મનુભાઈ આહુજા, ભરતભાઈ કામળિયા, સહિત મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા

અમીનભાઈ પઠાણ – પ્રમુખ મુસ્લીમ સમાજ માળીયા હાટીના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024