Ration card
કેન્દ્ર સરકાર હવે સરકારી રેશન કાર્ડ (Ration card) ધરાવનારા લોકો માટે ગાઇડલાઇન ઘડી રહી હોવાની જાણકારી મળી છે. જે મુજબ હવે રેશન કાર્ડ ધારક જો સળંગ ત્રણ માસ સુધી અનાજ નહીં લે તો તેમનું રાશન કાર્ડ રદ થવાની શક્યતા છે.
સરકાર રેશન કાર્ડ દ્વારા ગરીબ પરિવારોને વાજબી ભાવે અનાજ મળી રહે એવી જોગવાઇ કરતી રહી છે. પરંતુ કેટલાક સમયથી એવી માહિતી મળી હતી કે ઘણા પરિવારો સતત ત્રણ મહિના અનાજ લેતા નથી. જેથી હવે પછી એવું થશે તો એમ માની લેવામાં આવશે કે આ પરિવારો હવે આર્થિક દ્રષ્ટિએ સક્ષમ થઇ ગયા છે એટલે તેમના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે.
આ પણ જુઓ : ભારત-બાંગ્લા દેશ વચ્ચે ટ્રેન સેવા શરૂ થશે, 17મીએ ઉદ્ઘાટન કરશે
આ યોજના જરૂરત મંદ પરિવારોને સહાય કરવા માટે ઘડવામાં આવી છે. સરકાર દ્વારા આવો નિર્ણય લેવાઇ રહ્યો હોવાની માહિતી મળી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.