PATAN : સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે નવા મંદિરનું નિર્માણ કરી સધીમાતાની (Sadhi Maa) પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો.
સધીમાતાનો ફોટો ચંદનજી ઠાકોરના માદરે વતન સુજનીપુર ગામેથી તેઓના નિવાસ સ્થાનેથી માતાજીને રથમાં બેસાડીને માતાજીના રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
PATAN : સુજનીપુર – નવીન બનેલ મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
વાગતા ઠોલે તેમજ નાશિક ઢોલના તાલે અને ગામની કુંવાસી ઓએ માથે કળશ ઉપાડીને ગામમાં શોભાયાત્રા નીકળી હતી. અને આ શોભાયાત્રા નવીન બનેલ મંદિર ખાતે સંપન્ન થવા પામી હતી. ત્યારબાદ માતાજીના નવીન બનેલ મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન પદે સંજય ઠાકોર પરિવારે લાભ લીધો હતો.
વિદવાન પંડિતોના શાસ્ત્રોકત વિધિ વિધાનથી યજ્ઞમાં યજમાન પરિવારે આહુતિ આપી હતી. તો સુજનીપુર ગામે યોજાયેલા મંદિર પ્રતિષ્ઠાના યજ્ઞનો ગામના ભાઈ-બહેનોએ દર્શન પ્રસાદનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.