સમીની જય ભારત હાઇસ્કુલમાં શિક્ષકદિન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓએ શિક્ષક બની અને શૈક્ષણિક કાર્ય કયું હતું.
આ કાર્યક્રમમાં બેસ્ટ ૩ શિક્ષકની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી પ્રથમ નંબર મોહમ્મદ ઝેદ કાજી,દ્રિતીય નંબર ધ્રુવીબેન સથવારા અને તૃતીય નંબર રિયાઝ દિવાને પ્રાપ્ત કર્યો હતો.
સમસ્ત કાર્યક્રમના દાતા શાળાના શિક્ષક સાહિલકુમાર વિરતીયાએ વિજેતા અને સૌ વિધાર્થી શિક્ષકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા અને ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન પર ઉદ્દબોધન કયું હતુ જયારે આચાર્યશ્રી એ શિક્ષકદિન પર્વના મહિમા વિશે ઉદબોધન કયું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી સંજયભાઈ પટેલ,સુરેશભાઈ ઠાકર, સંજયભાઈ ઠાકોર, અશ્વીનભાઈ કડિયા, વિપુલકુમાર પટેલ, બાલસંગજી ઠાકોર, કુબેરભાઈ વણકર, પ્રવિણભાઈ નાયી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આભારવિધી મહેબુબભાઇ સિપાઈએ કરી હતી.