સિદ્ઘપુર તાલુકાના સેદ્રાણા ગામે જીનવાડામાં રહેતા ઇમરાનશા જીવાશા ફકીરના ઘરમાં તારીખ ર૩ થી ર૬ તારીખ સુધીમાં ઘરના નકુચાનું તાળું તોડી અજાણ્યા તસ્કરો દવારા સામાન રફેદફે કરી તિજોરીમાં પડેલાં રોકડા ૩,પ૦,૦૦૦ તેમજ સોના ચાંદીના દાગીના ૮૬,૦૦૦ ના મળી ચોર ઈસમો કુલ રુપિયા ૪,૩૬,૦૦૦ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે સિદ્ઘપુર તાલુકાના સેદ્રાણા ગામે રહેતા ઇમરાનશા જીવાશા ફકીર ઈદનો તહેવાર હોવાથી તારીખ ર૩મીના રોજ પોતાની સાસરી મહેસાણા નાગલપુર મુકામે ગયેલા હતા ત્યાંથી તારીખ ર૬ ના રોજ ઘરે પરત આવતા ઘરનો નકૂચાનુ તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું
જેથી ઈમરાનશા એ તરત ઘરમાં તપાસ કરતાં ઘરમાં સામાન વેરવિખેર પડેલ હતો તેમજ વચ્ચે ના રૂમ માં આવેલ તિજોરી પણ ખુૡી હતી તેમાંથી ચોર ઈસમો દ્વારા રોકડા ૩,પ૦,૦૦૦ અને સોના-ચાંદીના દાગીના ૮૬,૦૦૦ના મળી કુલ ૪,૩૬,૦૦૦ ની ચોરી કરી લઇ ગયેલ હોવાથી ઇમરાનશા ફકીર દ્વારા કાકોશી પોલીસ મથકે ફરિયાદ કરાતા પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.