આજ રોજ સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર ની અધ્યક્ષતા માં સિદ્ધપુર મામલતદાર ને આવેદન પત્ર આપ્યું.
ન્યાય યાત્રા અંતર્ગત સરકાર સમક્ષ મુકેલી ચાર માંગણીઓ જેવી કે
૧. કોવિડ-૧૯ થી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ૪ લાખ નું વળતર,
૨. કોવિડ ગ્રસ્ત દર્દીઓના તમામ મેડિકલ બિલ્સ ની રકમની ચુકવણી,
૩. સરકારી તંત્રની ઘોર નિષ્ફળતા ની ન્યાયિક તપાસ
૪. કોવિડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારી અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું.
જેમાં સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં સ્થાનિક આગેવાનો, જીલ્લા, તાલુકા પંચાયત ના સદસ્યો, નગરપાલીકા સદસ્યો તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ હાજરી આપી હતી.