- અમ્ફાન તોફાનને કારણે પશ્ચિમ બંગાળમાં આર્થિક સંકટ ઊભું થયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના આદેશ મુજબ રાજ્યને એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
- પશ્ચિમ બંગાળ સરકારે રેલવે, પોર્ટ અને પ્રાઇવેટ સરકારની પાસે મદદ માંગી, ગૃહ મંત્રાલયે એનડીઆરએફની દસ વધુ ટીમો મોકલાવીને બચાવની કામગીરી શરૂ કરાઈ દેવામાં આવી છે
- પશ્ચિમ બંગાળમાં આવેલા વિનાશક તોફાનથી મૃત્યુઆંક 86 પર પહોંચી ગયો છે. લોકોને જરૂરી સુવિધાઓના અભાવે મુશ્કેલીઓ વધી રહી છે.
#Bangladesh was left reeling from #CycloneAmphan, on Friday, as the #coronavirus threatens to spread among half a million homeless and refugees, while the storm left major floods and destruction in its wake. pic.twitter.com/D4LqyfmCUy
— Ruptly (@Ruptly) May 22, 2020
- રાજ્ય સરકારે ટ્વીટ કર્યું કે , “રાજ્ય સરકાર સતત રાહત કાર્ય અને આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાઈ પર કામ કરી રહી છે.” રાજ્ય સરકારે મદદ માટે .એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.
- રેલ્વે, પોર્ટ અને ખાનગી ક્ષેત્રની પણ મદદ લેવામાં આવી છે. અમારી અગ્રતા પીવાના પાણીની વ્યવસ્થા અને ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારણા છે. પાઉચ પેકેટ અને ફૂડ પેકેટથી ઘણા વિસ્તારોમાં પાણી અને ફૂડ પહોંચાડવામાં આવી રહ્યું છે.
- બાંગ્લાદેશમાં કુદરતના કહેરથી 5 લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી સંકટની વચ્ચે આ દુર્ઘટનાને પહોંચી વળવા બાંગ્લાદેશ સરકાર સખત પ્રયાસ કરી રહી છે. તેમ છતાં સરકાર હજી ઘણા વિસ્તારોમાં મદદ માટે પહોંચી શકી નથી.
- તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News