મધરાતે 2.45 કલાકે મધરાત્રીએ તેમના વતન ચરાડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં
- યાત્રાધામ અંબાજી ખાતે ‘ચૂંદડીવાળા માતાજી’ તરીકે જાણીતા પ્રહલાદભાઇ જાનીનું 91 વર્ષે નિધન થયું છે.
- રાતે 2.45 કલાકે તેમના વતન ચરાડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
- રાતે તેમને શ્વાસ લેવાની તકલીફ થઇ હતી. નોંધનીય છે કે, 80 વર્ષથી ચૂંદડીવાળા માતાજીએ અન્ન-પાણીનો ત્યાગ કર્યો હતો. જે સાયન્સ માટે પણ એક મોટો કોયડો સમાન બન્યો હતો.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/05/Mysterious-Prahlad-Jani.jpg?resize=640%2C400&ssl=1)
- મૂળ ચરાડા ગામ વતની પ્રહલાદભાઈ જાની ચુંદડીવાળા માતાજી તરીકે સમગ્ર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.
- આ માતાજીએ છેલ્લા 86 વર્ષથી નથી ખાધું કે નથી પીધું.
- સમગ્ર દેશની સાથે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન હતા.
- ચુંદડીવાળા માતાજીની વેશભૂષાથી જાણવા મળે છે કે તે એક સંન્યાસી હતા.
- ચુંદડીવાળા માતાજીનું મહત્વ એટલુ હતું કે લોકો દૂર-દૂરથી તેમના દર્શન માટે આવતા હતા.
- સફેદ દાઢી અને નાકમાં નથણી અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજીનો પહેરવેશ હતો.
- ચુંદડીવાળા માતાજીને (chundadi vada mataji) પૂજવાથી બધા દુઃખ દૂર થાય છે તેવી લોકોમાં માન્યતા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News