Supreme Court
સુપ્રીમ કોર્ટે (Supreme Court)સંપત્તિને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે આદેશમાં કહ્યું કે સંશોધિત હિંદુ ઉત્તરાધિકાર કાયદા પ્રમાણે દીકરાઓની જેમ જ દીકરીઓને પણ પિતાની સંપતિ પર બરાબરનો અધિકાર છે. કોર્ટે જણાવ્યું કે 9 સપ્ટેમ્બર 2005થી દીકરીઓને હિંદુ અવિભાજિત પરિવારની સંપતિમાં ભાગ મળશે. જો દીકરીઓ જિવિત ના હોય તો તેમના સંતાનોને આ ભાગ મળશે.
કોર્ટે (Supreme Court) જણાવ્યું કે એ વાતથી કોઇ ફેર નથી પડતો કે દીકરી જીવિત છે કે નહીં, દરેક પરિસ્થિતિમાં દીકરીઓને તેમનો હક મળશે. જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચ દ્વારા કહેવામાં આવ્યું કે આ કાયદો લાગુ થયા પહેલા જો પિતાનું મૃત્યુ થયું હોય, તો પણ દીકરીઓને પિતાની સંપતિ પર અધિકાર મળશે.
આ પણ જુઓ : PMO એ covid-19 મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વર્ચ્યુઅલ બેઠક
2005ના વર્ષમાં કાયદો બન્યો હતો કે પિતાની સંપતિમાં દીકરો અને દીકરી બંનેને એકસમાન ભાગ મળશે. જેમાં સ્પષ્ટ નહોતું કે જો પિતાનું મૃત્યુ 2005 પહેલા થયું હોય તેવા પરિવાર માટે આ કાયદો લાગુ થશે કે નહીં? આ વાત પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે 9 સપ્ટેમ્બર 2005ના દિવસે પિતા જીવિત ના હોય તો પણ દીકરીઓને સંપતિમાં અધિકાર મળશે.
આ પણ જુઓ : independence day : ન્યૂયોર્ક શહેરમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો લહેરાશે
2005ના વર્ષમાં કોર્ટે આદેશ આપ્યો કે દીકરીઓ પણ પિતાની સંપતિમાં બરાબરની ભાગીદાર છે. આ પહેલા દીકરીઓને પિતાની સંપતિમાં અધિકાર મળતો નહોતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow