Rajkot fire

Supreme Court

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શિક્ષણ સંસ્થાનોમાં એડમિશન અને નોકરીઓમાં મરાઠા અનામત પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટની બેચે કહ્યું કે, હાલ તેને મંજુરી નહી આપી શકાય. આ કેસ પર મોટી બેંચ તરફથી નિર્ણય કરવામાં આવશે, જેનું ગઠન મુખ્ય ન્યાયધિશ તરફથી કરવામાં આવશે. ઉપરાંત આ આદેશની અસર પોસ્ટ ગ્રેજ્યૂએટ મેડિકલ કોર્સિસના એડમિશન પર નહી થાય જે પહેલા જ થઈ ચુક્યા છે.

મહારાષ્ટ્રમાં 2018માં સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ એક્ટને મંજુરી આપી દેવામાં આવી હતી. આ કાયદા હેઠળ મરાઠા સમુદાયોને પછાત વર્ગમાં સામેલ કરતા OBC રિઝર્વેશનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓ : બોમ્બે હાઈકોર્ટે કંગનાની સંપત્તિ પર BMCની કાર્યવાહી પર સ્ટે મુક્યો

કેસની સુનવણી કરતા જસ્ટીસ એલ. એન. રાવના નેતૃત્વવાળી બેંચે કહ્યું કે, અત્યાર સુધી આ ક્વોટાનો લાભ લઈ ચુકેલા લોકોના સ્ટેટસ પર આ નિર્ણયથી કોઈ અસર નહી થાય. ઉપરાંત હાલના શૈક્ષણિક સત્રના વિદ્યાર્થીઓના ક્વોટાનો ફાયદો નહી મળી શકે.

આ પણ જુઓ : રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું …

બેંચે કહ્યું, હાલ તેના પર રોક લગાવવામાં આવે છે અને બંધારણીય બેંચ દ્વારા તેની માન્યતા નક્કી કરવામાં આવશે. બંધારણીય બેંચનો અર્થ 5 કે તેનાથી વધારે જજોની બેંચ, જેના પર ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે નિર્ણય લેશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024