Surat

Surat

સુરત (Surat) શહેરના અડાજણમાં વેપારીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. વેપારીએ નવનિર્મત કોમ્પલેક્સના અગિયારમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. આ 33 વર્ષના પારસ શ્યામ ખન્નાએ મરતા પહેલા પોતાના ફોટા પર ‘ઓમ શાંતિ’ અને ‘રેસ્ટ ઇન પીસ’ લખીને મિત્રોને મોકલ્યો હતો.

ત્યારબાદ મિત્રોએ પારસને શોધતા તેની લાશ મળી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પારસ અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતો હતો. માનવામાં આવી રહ્યું છે કે પત્નીના ચારિત્ર પર શંકાને કારણે અવારનવાર ઝઘડા થતા હોવાથી પારસે આ પગલું ભર્યું છે. સોમવારે ઝઘડો થયા બાદ તે ઘરની બહાર નીકળી ગયો હતો અને પરિવારના શોધખોળ બાદ પણ ન મળ્યો હતો. આખરે મિત્રોને તેનો મૃતદેહ મળ્યો હતો.

આ પણ જુઓ : રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી કોરોનાથી આપશે સુરક્ષા

પાલ RTO સામેના 11 માળના નવનિર્મિત કોમ્પલેક્સ નીચેથી પારસની લાશ મળી આવતા 108 અને અડાજણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે જઈ આગળની તપાસ હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024