Sushant Singh Rajput :
બોલિવૂડના જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં CBI તપાસ કરી રહી છે. (Sushant) તમને જણાવી દઈએ કે સુશાંત મોતના ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો છે પરંતુ હજુ સુથી તેના હત્યા કે આત્મહત્યાનું કોકડું ઉકેલાયું નથી. જ્યારે હવે ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની વાતને ફગાવી દેવામાં આવી છે.
ફોરેન્સિંક રિપોર્ટમાં (Sushant) સુશાંતની હત્યા થઈ હોવાની વાતને ફગાવી દેતા કહ્યું કે, જે સ્થિતિમાં મોત થયી છે તે જણાવે છે કે, તેમાં કોઈપણ પ્રકારનું ફાઉલ પ્લે નથી અને આ આત્મહત્યાનો કેસ છે. AIIMS મેડિકલ બોર્ડે સોમવારે સીબીઆઈની સાથે પોતાનો તપાસ રિપોર્ટ કૂપર હોસ્પિટલ દ્વારા કાઢવામાં આવેલ નિષ્કર્ષો સાથે શેર કર્યો હતો.
હવે AIIMSનો રિપોર્ટ મળ્યા બાદ સીબીઆઈ હવે આ મામલે આત્મહત્યાના એંગલથી જ તપાસ કરશે. એટલે કે હવે આગળની તપાસમાં એ સવાલનો જવાબ ચોક્કસ શોધવામાં આવશે કે શું સુશાંતે આત્મહત્યા કરી હતી અને કરી હતી તો તેનું કારણ શું હતું? શું કોઈએ તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો?
શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.