- અમદાવાદ શહેરમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.ત્યારે આ બાળકોને કોરોનાના સંભવિત ભય સામે જાગૃત કરવાની જવાબદારી શાળાઓમાં ફરજ બજાવતા 3250 જેટલા શિક્ષકોને પરીપત્ર અનુસાર શાસનાધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
- જેમાં તમામ શિક્ષકોને એવો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે કે,બાળકોને વાર્ષિક પરીક્ષા અગાઉ હાથ સાફ કરવાથી લઈ કોરોનાના સંભવિત ભય અંગેની તમામ બાબતોથી વાકેફ કરવા.જેને પગલે શિક્ષકો દ્વારા જાગૃતિકરણ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- શહેરના શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કોરોનાની સંભવિત અસર ન થાય એ માટે શાસનાધિકારી દ્વારા પરીપત્ર કરાયો છે.
- જેમાં દરેક શાળાના આચાર્યો અને શિક્ષકોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે,બાળકો જેટલો સમય પણ શાળામાં હોય તે સમયે હાથ બરોબર સાફ કરે,હેન્ડ શેક કરવાનું ટાળે, છીંક કે ઉધરસ આવે તે સમયે મોં કે નાક આડે રૂમાલ રાખે આનો અમલ થાય છે કે નહિ એ જોવાની જવાબદારી શિક્ષકોની રહેશે.
- આ માટે શિક્ષકોને જો જરૂર જણાય તો બાળકોના વાલીઓનો પણ સંપર્ક કરી સ્વચ્છતા માટે જાગૃત કરવા.આ પરીપત્ર બાદ મ્યુનિ.શાળાના બાળકોને શિક્ષકો દ્વારા જાગૃત કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News