શ્રાવણ માસમાં માંસ- મટન ની હાટડીયો બંધ કરાવવા માટે વિશ્વ હિન્દૂ પરિસદ બજરંગ દલ જીવ દયા સંગઠન દ્વાર આવેદન પત્ર આપવા મા આવ્યું હતું હિન્દુ સમાજમાં પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસનો સોમવાર ના શુભ દિવસે પ્રારંભ થયો છે અને દેવોના દેવ મહાદેવના આ અતિ પવિત શ્રાવણમાં હિન્દુ સમાજ ના ધામિક લોકો દ્રારા શ્રધ્ધા અને ભકિત પૂર્વક આરાધના કરવામાં આવતી હોય છે.
પરંતુ થરાદ તાલુકાના અમુક વિસ્તારોમાં માસ મટનની હાટડીઓમાં ખુૡેઆમ ચાલી રહી છે. જેનાથી મંદીરમાં આવતા દર્શનાર્થીઓ અને હિન્દુ ધર્મના લોકોની ધામિક લાગણી દુભાય છે હિન્દુ ધર્મના આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન થરાદ તાલુકામાં ચાલતા કતલખાનામાં કરવામાં આવતી નિદોશ અબોલ જીવોની હત્યા અને જાહેર કે ખાનગી મા ચાલતી માસ મટનની હાટડીઓ તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી.