examination

  • અત્યારે વૈશ્વિક મહામારી કોરોનાને પગલે આખા દેશમાં સ્કૂલ (School) અને કૉલેજો બંધ રાખવામાં આવી છે.
  • જો કે, ગુજરાતમાં પણ હાલ સ્કૂલ-કૉલેજો શરૂ કરવાની મંજૂરી નથી આપવામાં આવી.
  • આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલ કે કૉલેજ બોલાવવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
  • તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એક સ્કૂલમાં બંધ બારણે પરીક્ષા (examination) લેવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે.
  • તો બીજા એક બનાવમાં અમદાવાદના 16 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનો સમાચાર આવ્યા છે.
  • કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં પણ આ શિક્ષકોને ડોર ટૂ ડોર સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી.
  • તથા આ તમામ શિક્ષકો અમદાવાદ નગર પ્રાથમિક સ્કૂલના હોવાનું માલુમ પડ્યું છે.
examination
  • અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલી કોર્પોરેશનની એક સ્કૂલમાં ધોરણ-7 અને આઠની પરીક્ષા (examination) ચાલી રહી હોવાની માહિતી મળી હતી.
  • ત્યાર બાદમાં કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયૂઆઈના મહામંત્રીએ તપાસ કરતા સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો.
  • તપાસ કરતા સ્કૂલમાં એક વર્ગખંડમાં બંધ બારણે પરીક્ષા (examination) ચાલી રહ્યાનું માલુમ પડ્યું હતું.
  • અત્યારે લૉકડાઉનને પગલે સ્કૂલ બંધ હોવા છતાં સ્કૂલના તંત્ર તરફથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવીને સરકારી ગાઇડલાઇનો ભંગ કરવામાં આવ્યો છે.
examination
  • આ મામલે શિક્ષકોએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સમજાવવા માટે બોલાવવામાં આવ્યા હતા.
  • તેમની પાસે મોબાઇલ કે ટીવી ન હોવાથી તેમને સમજાવવા માટે સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા.
  • જ્યારે અમુક વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમને ફોન કરીને સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા.
  • તથા એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે બાળકોને પુસ્તકો આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.
  • નોંધનીય છે કે ગુલબાઇ ટેકરા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કેન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.
  • તેમજ તેની બાજુમાં જ આ સ્કૂલ આવેલી છે.
  • જો કે, કોરોનાને પગલે શિક્ષણ વિભાગ તરફથી સ્કૂલોને પરીક્ષા માટે પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડવાનો આદેશ કરવામાં આવ્યો છે.
  • પરંતુ અહીં પ્રશ્નપત્રો ઘરે પહોંચાડવાને બદલે સ્કૂલવાળાઓએ વિદ્યાર્થીઓને સ્કૂલે જ બોલાવી લીધા હતા.
  • આ બાબતે એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોનાને ભયના પગલે શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે નથી જઈ રહ્યા.
  • જો કે, આ મામલે શિક્ષકો પોતાનો વિરોધ પણ નોંધાવી ચુક્યા છે.
  • તો બીજી તરફ નાના બાળકોનો કોરોનાનું જોખમ વધારે રહેલું હોવા છતાં તેમને સ્કૂલે બોલાવવામાં આવેલા.
  • તો આ બનાવ પર હવે તંત્ર તરફથી સ્કૂલના જવાબદારી શિક્ષકો સામે શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું.
  • તો આ મામલે કૉંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર મનિષ દોષીએ જણાવ્યું હતું કે, “કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકોને બાળકોની કોઈ ચિંતા નથી.
  • આ તમામ ગરીબ પરિવારોના બાળકો છે.
  • વિદ્યાર્થીઓને જેમણે પણ સ્કૂલે બોલાવવાનો આદેશ આપ્યો હોય તેમની સામે બેદરકારી બદલ ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024