fire safety

  • અમદાવાદ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે અને રાજ્યમાં તમામ હોસ્પિટલમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
  • કોવિડ ડેડીકેટેડ અને અન્ય હોસ્પિટલમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
  • જેથી આગામી સમયમાં હવે ફાયર સેફ્ટી (fire safety) ને લઈ વિશેષ ચકાસણી હાથ ધરાશે.
  • હોસ્પિટલમાં ફાયરના સાધનો અંગે સરકારે તપાસના આદેશ આપતા હોસ્પિટલ સત્તાધીશોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
  • ફાયરની સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
  • અમદાવાદમાં નવરંગપુરામાં આવેલી કોરોનાની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી.
  • શ્રેય હોસ્પિટલને ફાયર સેફ્ટી (fire safety) નું સર્ટીફિકેટ મળ્યું નહોતું.
  • તેમ છતાં વગર ફાયરસર્ટીએ AMC એ કોવિડ હોસ્પિટલ બનાવવાની પરમિશન આપી હતી.
  • ત્યારબાદ આ ઘટનામાં ફાયર સેફ્ટી મુદ્દે પણ આજે વધુ એક મોટો ખુલાસો થયો છે.
  • 2100 મોટી હોસ્પિટલ વચ્ચે માત્ર 91 ફાયર NOC હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
  • આ માહિતી સામે આવતા કાયદો માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
  • તેમજ રાજકોટમાં આવેલી તમામ કોવિડ 19 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી (fire safety) ની ચકાસણીના આદેશ આપી દેવામાં આવ્યા છે,
  • તો આ સાથે શહેરની 16 ખાનગી હોસ્પિટલોમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યો છે.
  • તેમજ સાંજ સુધીમાં સમગ્ર આ રિપોર્ટ રજૂ કરવા માટે જણાવાયું છે.
  • તમને જણાવાનું કે, ભાવનગરમાં કોવિડ માટે 13 હોસ્પિટલ રાખવામાં આવી છે.
  • 13માંથી 7 હોસ્પિટલમાં ફાયરની NOC નથી.
  • જેના કારણે ફાયર ઓફિસરે શહેરની 7 ખાનગી હોસ્પિટલોને નોટિસ આપી છે.
  • તો 13 હોસ્પિટલમાંથી 6 હોસ્પિટલમાં ફાયર સેફટી (fire safety) ની સુવિધાઓ છે.
  • બાકીની હોસ્પિટલોમાં ફાયરના અપૂરતા સાધનો હોવાનું ચીફ ફાયર ઓફિસરે જ સ્વીકાર્યું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024