Anand

Anand

આણંદ (Anand) ના ખંભોળજ પાસે આવેલા કણભઈપુરા ગામે સવારે કમકમાટીભર્યો અકસ્માત બન્યો છે.  આઈશર ટેમ્પોએ બાઇકચાલકને ટક્કર મારી ઢસડી પાસેના ખેતર લઈ ગયો હતો. જેમાં બાઈક સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. ઘટના બાદ આઈશર ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો છે. ખંભોળજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સવારે 6.30 કલાકે આણંદના ખંભોળજ પાસેથી પસાર થતા એક આઈશર ટેમ્પોએ સાવલી નોકરી પર જતા બાઈકને ટક્કર મારતાં ત્રણેયનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. અકસ્માત બાદ આઇશર ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. માહિતી મુજબ આ યુવાનો સવારે કણભઈપુરા ગામથી સાવલી સમલાયા ખાનગી કંપનીમાં નોકરી કરવા જઇ રહ્યાં હતા.

આ પણ જુઓ : સાંતલપુર : સાંતલપુર સિંઘાડા પાટિયા પાસે અર્ટિકાં ગાડી ને નડયો અકસ્માત.

આ દરમિયાન આઈશરના આગળના ભાગથી મારેલી ટક્કરમાં ઢસડાઈ બાઈકસવાર યુવકો ટેમ્પોના પાછળના ભાગે નીકળ્યા હતા. આઈશર ટેમ્પો માર્ગ ઉપરના કેળાના ખેતરમાં ઢસડાઈ ઊભો રહી ગયો હતો. અકસ્માતમાં ત્રણેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024