Skip to content
- દેશ સહિત રાજ્યમાં કોરોનાનો કેર વધી રહ્યો છે.
- ડોદરામાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યુ છે.
- કોરોનાથી શહેરમાં પહેલું મોત નીપજ્યું છે.
- રાજ્યમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 7 થઇ છે. મહત્વનું છે કે, આ 55 વર્ષનાં દર્દી શ્રીલંકા જઇને આવ્યાં હતાં.
- મળતી માહિતી પ્રમાણે, નિઝામપુરામાં રહેતા શ્રીલંકાથી આવેલા આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
- ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
- પુત્ર અને પુત્રવધૂનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને અને બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
- આ અંગે શહેરનાં દર્દી શાલિની અગ્રવાલે પુષ્ટી કરી છે.
- વડોદરામાં કોરોના પોઝિટિવનાં કેસ વધી રહ્યાં છે ત્યારે શંકાસ્પદ દર્દી ભાગવાનો મામલો સામે આવ્યો છે.
- અલી હુસેન સીદ્દીકી નામનો યુવક શંકાસ્પદ કોરોના દર્દી હતો. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી તે ભાગી ગયો હતો.
- પોલીસે યુવાનને ઝડપીને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો.