What to do when Cyclone Biparjoy hits

Cyclone Biparjoy : હવામાન વિભાગ દ્વારા જ્યારથી બિપરજોય નામક વાવાઝોડા રૂપી સંકટની આગાહી કરવામાં આવી છે ત્યારથી રાજ્યના તમામ જિલ્લાનું વહીવટીતંત્ર વાવાઝોડા સામે લડવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. પાટણ જિલ્લા વહીવટીતંત્ર પણ બિપરજોયની સંભવિત પરિસ્થિતી સામે લડવા માટે તૈયાર છે. ત્યારે વાવાઝોડાના પહેલા,દરમિયાન અને વાવાઝોડા બાદ કેટલીક તકેદારી અને સાવધાની રાખવી ખૂબ જરૂરી બની રહે છે.

વાવાઝોડા પહેલાં શુ કરવું જોઈએ? Cyclone Biparjoy

• સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
• સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહો
• રેડિયો સેટને ચાલુ હાલતમાં રાખો
• બેટરીથી ચાલતા રેડીયો વાપરવા વધારે સલાહભર્યું
• જો પાક લણણી માટે તૈયાર હોય તો ઉભા પાકને સમયસર લણી સલામત સ્થળે રાખો
• જો આપ જોખમી વિસ્તારમાં રહેતા હોવ તો પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું
• માછીમારોએ દરિયામાં જવું નહીં.સલામત સ્થળે બોટને લાંગરવી
• દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે બોટને લાંગરવી
• સ્થળાંતર સમયે ગભરાટ કર્યા વિના આપના સામાન તેમજ ઢોર-ઢાંખરની સલામતીનું ધ્યાન રાખો
• શાંત રહો, ગભરાશો નહી.

• ઘરના સભ્યો અને ખાસ કરીને બાળકોમાં વાવાઝોડા અને તેની અસર તેમજ સલામતીના પગલાં વિશે ચર્ચા કરો. જેથી કટોકટીના સમયે કોણે શું કરવું તેનું ધ્યાન રહે.
• આવાસની મજબુતીની ખાતરી કરી લો
• અગત્યના દસ્તાવેજો, આપના ફોટોગ્રાફ સાથેના ઓળખપત્રો તેમજ બલ્ડ ગૃપની માહિતી સાથે રાખો
• ફાનસ,ટોર્ચ, અને વધારાની બેટરી સાથે રાખો. ધાબળા, કપડા અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો
• બિમાર વ્યક્તિઓ અને બાળકો માટે ખોરાક, પાણી, અને દવાઓની લગભગ, સાતેક દિવસ ચાલે તેવી વ્યવસ્થા કરો
• વૃક્ષોના સુકા અને રોગયુક્ત ભાગો કાપી નાખો જેથી ફુંકાતા પવનને લીધએ તેઓના પડી જવાથી થતું નુકશાન અટકી શકે.
• વાહનો ચાલી શકે તેવી સ્થિતીમાં રાખો

વાવાઝોડા ત્રાટકે ત્યારે શુ કરવું? અને શું ન કરવું? Cyclone Biparjoy

• ઘરના તમામ બારી બારણા બંધ કરી દેવા
• વાવાઝોડાના સમયેબહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
• રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી.
• બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળો
• મેદાનમાં કે તેની આસપાસ રહો
• માછીમારોએ દરિયામાં ન જવા અને પોતાની હોડી સલામત સ્થળોએ જ બાંધી રાખવી
• અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવું
• ઝાડ હેઠળ કે જૂના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળો
• વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડશો નહીં
• વીજળીના થાંભલાથી દુર રહો

• વીજપ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા
• ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંન્ટ્રોલરૂમમાં સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દુર રહેવું
વાવાઝોડા પછી શું કરવું? અને શુ ન કરવું?
• કાટમાળમાંથી ચાલતી વખતે તુટેલા કાચના ટુકડા કે પતરા જેવી વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી સાવધાન રહો
• સ્થાનિક અધિકારીઓની સુચના પ્રમાણે વર્તો
• બહાર નીકળતા પહેલા વાવાઝોડું પસાર થઈ ચુક્યું છે તેની ખાતરી કરીને જ બહાર નીકળવું
• રેડીયો કે ટીવી ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશ આવે તેની રાહ જુવો
• તત્કાલ રાહત ટુકડી પહોંચવાની રાહ જુઓ
• પૂરગ્રસ્ત વિસ્તારોથી દુર રહો
• માછીમારોએ દરિયામાં જતાં પહેલાં અન્ય 24 કલાક સુધી રાહ જોવી હિતાવહ
• લોકોની મદદ માટે પનાથી બનતી સેવા કરો જેવી કે…
 ઘર છોડીને ગયેલા લોકોને પાછા લાવવા મદદ કરોઅને તેમના જાનમાલના નુકશાનની માહિતી ભેગી કરો
 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પુરી પાડો
 કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરો
 રક્તદાન કરવા તૈયાર રહો
 કાટમાળના નિકાલની વ્યવસ્થા કરો જેથી સ્થિતી ઝડપથી સામાન્ય બની શકે
 ભયજનક અતિ નુકશાન પામેલ મકાનને તાત્કાલિક ઉતારી લેવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024