Yatra
કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે યાત્રાધામો (Yatra) બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યાત્રાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. માતા વૈષ્ણોદેવીનો દરબાર આજથી ભક્તો માટે ખુલી ગયો છે. જ્મ્મુ કાશ્મીર પ્રશાસને રવિવારથી મા વૈષ્ણોદેવી યાત્રાને શરુ કરવાની અનુમતિ આપી દીધી છે.
કોરોના મહામારીને કારણે 18 માર્ચથી મા વૈષ્ણોદેવીની યાત્રા (Yatra) બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે કડક નિયમો સાથે યાત્રાને ફરીથી શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં નિયમ મુજબ દરરોજ માત્ર 2000 શ્રદ્ધાળુઓ જ માતાના દર્શન કરી શકશે.
તેમજ વૈષ્ણોદેવીની યાત્રામાં સામેલ થવા માટે જમ્મુ કાશ્મીર પ્રશાસને ખાસ નિયમો બનાવ્યા છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. દરેક પ્રવેશદ્વાર પર યાત્રીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. એટલું જ નહિ યાત્રીઓને ફરજિયાત ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ જ લોકોને યાત્રાની મંજૂરી આપવામાં આવશે.
આ પણ જુઓ : Rahul Gandhi એ ચીન મામલે PM નરેન્દ્ર મોદીને ફરી ઘેર્યા
માતાના દરબારમાં એકસાથે 600 કરતા વધારે લોકો એકઠા થઇ શકશે નહીં. ઉપરાંત 60 વર્ષથી વધારે ઉંમરના લોકો, બિમાર લોકો, 10 વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓને યાત્રાની મંજૂરી નહીં મળે. જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા આપવામાં આવેલા આ દિશા નિર્દેશ 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.
આ પણ જુઓ : UP : 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા
આ સિવાય ભક્તો મંદિર પરિસરમાં કોઇ પણ પ્રકારનું દાન આપી શકશે નહીં. દેવી દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવાની પણ મનાઇ કરવામાં આવી છે. ભક્તોએ માતાના દરબારમાં પ્રવેશ પહેલા સેનેટાઇઝિંગ મશીનમાંથી પસાર થવું પડશે. તેમજ થર્મલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. જે લોકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થયેલું છે માત્ર તેઓ જ મતાના દર્શન કરી શકશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.