પેટનો દુખાવો ખૂબ સામાન્ય સમસ્યા છે અને દરેકને જીવનમાં ક્યારેક ને ક્યારેક પેટનો દુખાવો થાય જ છે. પેટના દુખાવાથી આરામ મેળવવા માટે સૌથી પહેલા તો ઘરગથ્થું કે પ્રાકૃતિક ઉપાય કરવામાં આવે છે. પરંતુ દુર્ભાગ્યથી ઘણી વખત એવું થાય છે કે પોતાના મનથી ઉપાય કરવામાં ભૂલ થઈ જાય છે અને તેનાથી વ્યક્તિને ઘણી વખત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

આ ઉપરાંત જો તમે આ દુખાવાના નિદાનમાં મોડું કરો છો તો સમસ્યા વધારે જટિલ થઇ જાય છે. તેના ઉપરાંત બીજી ઘણી ભૂલો છે જેને પેટના દુખાવાના સમયે ના કરવી જોઈએ. પેટના દર્દને ફક્ત અપચનથી સંબંધી સમસ્યા કે એસિડિટી માનીને ના ટાળવી જોઈએ. ક્યારેક ક્યારેક આ સ્વાસ્થ્યથી સંબંધી ગંભીર સમસ્યાનો સંકેત હોઇ શકે છે.

સેલ્ફ-મેડિકેશન પેટના દુખાવા માટે ક્યારેય પણ પોતાના મનથી દવા ના લો. ઘરગથ્થું ઉપાય સુરક્ષિત હોય છે. પરંતુ જ્યારે તમે વગર કારણ જાણે, આંખ બંધ કરીને સ્થિતિનો ઉપાય કરો છો તો આ ખતરનાક હોઈ શકે છે. અંતમા: ર્ડોક્ટર પાસેથી પેટના દુખાવાનું મૂળ કારણ જાણીને પછી જ ઘરગથ્થું ઉપાય અપનાવો.

સલાહ લેવામાં મોડું મોટાભાગના કેસમાં માથાનો દુખાવો અને પેટનો દુખાવો સામાન્ય લક્ષણોની શ્રેણીમાં આવે છે. તમે વિચારો છો કે તે પોતાની જાતે જ ઠીક થઈ જશે. પરંતુ તે જાણવું મહત્વપૂર્ણ છે કે કારણની ઝડપી તપાસ કરવી પણ ખૂબ જરૂરી હોય છે. તેનાથી ઉપાય સફળ રીતથી કરી શકાય છે.

ઉપાય પૂરો ના કરવો. એવું મોટાભાગે એન્ટીબાયોટિક્સની સાથે થાય છે. લક્ષણ પૂરા થઈ જવા પર એન્ટીબાયોટિક્સ લેવાનું બંધ ના કરો. પેટના દુખાવાના સમયની જાણીતી આ ખૂબ સામાન્ય ભૂલ છે જેને ના કરવી જોઈએ. ઠીક થયા પછી જ ઉપાય પૂરી રીતે કરો.

દૂધ પીવું જો તમે પેટને આરામ આપવાના ઉદ્દેશથી દૂધ પીવો છો તો તમે ખોટું કરી રહ્યા છો. દૂધ પીવાથી પેટનો દુખાવ વધારે વધી શકે છે, વિશેષ રીતે જો તમને એસિડિટીના કારણે પેટનો દુખાવો થયો હોય તો. પેટ દર્દના સમયે આ ભૂલ ના કરવી જોઈએ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024