• અસમ સરકારે જાહેરાત કરી છે કે તે દરેક વયસ્ક દુલ્હન જેણે ઓછામાં ઓછા ધોરણ-10 સુધી અભ્યાસ કર્યો હોય અને લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેને 10 ગ્રામ સોનું ભેટ સ્વરૂપે આપશે.
  • રાજ્યના નાણાંમંત્રી હિમંત બિસ્વ સરમાએ કહ્યું કે, અરૂંધતિ (Arundhati scheme) સ્વર્ણ યોજનાનો લાભ મેળવવા માટે અન્ય કેટલીક શરતો પણ છે.
  • યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિ રીતે નબળા હોય.
  • અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ યોજના આ વર્ષે રાજ્યના બજેટમાં પ્રસ્તાવિત હતી.
  • બાળ લગ્ન નિષેધ અધિનિયમ અંતર્ગત અરૂંધતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં બાળ લગ્નની સંખ્યાને ઓછી કરવાનો છે.
  • બાળ લગ્ન નિષેધ અધિનિયમ અનુસાર ભારતમાં કોઇ પણ યુવતિના લગ્ન 18 વર્ષથી પહેલા અને યુવકના લગ્ન 21 વર્ષથી પહેલા થઇ શકે નહીં.
  • આ યોજનાનો લાભ કોઇ પણ જાતિ, પંથ, ધર્મને માનતા તે પરિવાર લઇ શકે છે જેની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે.
  • કેબિનેટ બેઠકમાં સરકારે તમામ સરકારી ઓફિસો અને કામકાજના સ્થળો પર ફરજિયાત સેનેટરી નેપકીન રાખવાનો પણ નિર્ણય લીધો છે.
  • આ નિર્ણય કામકાજના સ્થળ પર મહિલાઓમાં વ્યક્તિગત સાફ-સફાઇને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024